Friday, October 22, 2010

જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો

જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો
કે એ કશું જ જાણતો નથી એ મૂર્ખ છે – છોડો એને !
જે કશું જ જાણતો નથી અને જાણે છે કે એ
કશું જ જાણતો નથી એ સામાન્ય છે – શીખવો એને !
જે કંઈક જાણે છે પણ એને જાણ નથી કે
તે જાણે છે તે નિદ્રામાં છે – જગાડો તેને !
જે જ્ઞાની છે અને તેના જ્ઞાન વિષે સભાન છે
તે શાણો છે – અનુસરો એને !

દુ:ખી થવાના દસ રસ્તા

(ક) તમારી જ વાત કર્યા કરો
(ખ) તમારો જ વિચાર કર્યા કરો.
(ગ) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો.
(ઘ) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
(ચ) કોઈનો યે વિશ્વાસ ન કરો.
(છ) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.
(જ) બને તેટલી વાર ‘હું’ શબ્દનો ઉપયોગ કરો.
(ઝ) બીજા માટે બને તેટલું ઓછું કરો.
(ટ) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(ઠ) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.